Page-17 દિવાન સાહેબ ને એકદમ મગજમાં વીજળી દોડી …સરમણ તું ત્યાં જ રે હવે તારે હવે નવાબ ના બાપ બનવા નું છે … સરમણ કઈ સમજ્યો નહિ .. એટલે સુ કયો સો તમે બાપલા … આ તો તમે મારી માં ઝેવું બોલો સો …દિવાન સાહેબે કીધું હા સરમણ તારે હવે નવાબના બાપ બનવાનું છે …જો સરમણ કાલે તે જદ્દ્ન ની નથ ઉતારી અને બડે નવાબ સાહેબ સમજ્યા કે મન્સુર નું કામ છે આ … બસ એમજ તારે મન્સુરની બેગમની નથ ઉતારવાની છે અને એના દીકરાનો બાપ બનવાનું છે … સરમણ બે ડગલા પાછો હટી ગયો .. ના ના ના દિવાન સાહેબ એવું પાપ નો થાય જદ્દ્ન તો મારી સે .. દિવાન સાહેબે કીધું ..સરમણ તારી પાસે કોઈ રસ્તો નથી ….સરમણ બોલ્યો ..સે બાપ સે હું તો આ છોટે નવાબ ને એના હુક્કા માં ધતુરો ઘોળી ને પાવા આયવો સુ…અને ઇના રૂપિયા ઓલી જદ્દ્ન ની માં ભલે લઇ ઝાતી ….હું ને જદ્દ્ન ક્યાંક દુર વયા જાહુ….દિવાન સાહેબે કીધું ..એટલું સેહલું છે છોટે નવાબ ને મારી ને લુંટી અને ભાગવા નું ..? આખી અંગ્રેજ સરકારની ફોજ તને ધરતીના છઠ્ઠા પડમાંથી ગોતી કાઢશે અને ફાંસીએ લટકાવશે …હવે તું સિંહ ના પાંજરા માં ગયો જ છું તો હું કહું એમ કર … આજે રાત્રે મન્સુર ની ત્રીજા નંબરની બેગમ રંગમેહલ માં આવશે …એ બહુ નાની રિયાસત માંથી છે .. અને જો મન્સુરના છોકરાની માં થાય તો એ રાજમાતા થાય અને એના માટે એ ચુપચાપ તારી સાથે …. આટલું બોલી દિવાન સાહેબ અટકી ગયા ….સરમણ બોલ્યો પણ પણ ..કઈ નહિ પાછો જા રંગમહેલમાં .. યાદ કર સરમણ .. આ નવાબ ના લોહી માં ખરાબી છે .. મન્સુર નો દાદો કુમળી છોકરી ને મારીને ખાતો અને આ મન્સુર નાના છોકરા ને મારી ખાય છે … આ ત્રીજી બેગમ ને જો તારું છોકરું થાય તો એ ગાદીએ બેસે … અને આ નરાધમો નો વંશ અહિયાં જુનાગઢની ગાદીએથી જાય … કેટલી માં ની દીકરી ,અને દીકરા મરતા બચશે .. હું ઘરડો થયો છું .. મારા મર્યા પછી જો મન્સુર નવાબ થયો તો ગિરનારમાં કેટલા માસુમોના ભોગ લેવાશે સરમણ જીદ કરમાં ….દિવાન સાહેબ કમરા નો દરવાજો ખોલી ને બહાર જતા રહ્યા … સરમણ મોઢા પર પછેડી નાખી અને જેમ રંગમહેલ માંથી બહાર આવ્યો તો એમ અંદર જતો રહ્યો… આખી વાત કરી જદ્દ્નને .. .. સરમણ નું મન નોહતું માનતુ….જદ્દ્નને ફરી પૂછ્યું સરમણ તારો બાપ કોણ છે ..?? , .. .cont.page-18
No Comments