Page:-5
રાત્રે પ્રભાબેન સુવા માટે એમના રૂમમાં સુવા માટે ગયા પણ એમને ખબર હતી કે એમનો દીકરો પરભુદાસ રાત્રે એમની સાથે વાત કર્યા વિના નહિ ઊંઘે ..અને એમના ધાર્યા પ્રમાણે પ્રભુદાસભાઈ આવ્યા એમની પાસે..
બોલો બા ભાડલામાં બધું બરાબર ..? પ્રભાબેને કીધું હા બટા યાં તો બધું બરાબર છે તારે કેવું છે ધંધાધાપા કેવા છે ..?
બા આપડે તો સારું જ છે ને કારતક ચડે નહિ ને માગશર ઉતરે નહિ બધું બરાબર છે ..
પ્રભાબેને કીધું પરભુ હું તારી જોડે વાત કરવા આવી છું મારે વિઠ્ઠલભાઈ મનુભાઈ પારીનું મજિયારું છુટું કરવું છે, હવે મારી ઉમર છે અને પછી મારે બધો ભાર તારી અને વાસંતી ને માથે નથી નાખવો ..
પ્રભુદાસભાઈ એ કીધું એમાં ભાર શેનો બા ?આપણે તો બધું એક જ છે ને અને કોઈ ને હું બેઠો છું ત્યાં સુધી કોઈને કઈ ઓછું નહિ આવવા દઉં ..
પ્રભાબેને કીધું … ના બટા પરભુદાસ તારા ઘરમાં પણ હવે ત્રીજી પેઢી આવી ગઈ છે તારે હવે બધાનો ભાર લઈને ફરવાની જરૂર નથી ,તું અને વાસંતી હવે તમારું શાંતિ થી ભોગવો ..સૌ સૌનું કરી ખાવ એટલે હું પણ શાંતિથી લાકડા ભેગી થાઉં ..
પણ બા ..
પણ બણ કઈ જ વાત નહિ મેં કીધું ને …સેહજ ઊંચા અવાજે પ્રભાબેન બોલ્યા.. પ્રભુદાસભાઈ થોડા ગળગળા થઇ ગયા બા શું વાત છે ..?કોઈ વાત નથી પરભુ મારે મારા ઘરમાં તનસુખભાઈજી ના ઘરમાં જે થયું એ નથી જોઈતું ..
પણ બા જમનાભાભુ ..તું જા હવે તારા રૂમમાં પરભુ .. હું મારી વાતમાં મક્કમ છું
એક નિ:સાસો નાખી અને પ્રભુદાસ ભાઈ ઉભા થયા અને એમના રૂમમાં ગયા …
કુદરત દરેક જણ ને ક્યારેય બધું નથી આપતી, પ્રભાબા ને અંતરમાં રહી રહી ને ઉચાટ હતો કે રૂપિયો છોડવો તો આ કળજુગમાં કોઈને ગમતો નથી આ દુનિયામાં ,વળી લક્ષ્મી દેખી મુનીવર ચળે , મારા તો આ ત્રણે ત્રણ દીકરા આવડા મોટા ધંધા ખેલે છે ,અને એના બાપની પચીસ લાખની મૂડીમાંથી કરોડોનું સર્જન કર્યુછે એ લોકો એ તો ભાગ કેવી રીતે એકબીજાને આપશે ..? મારું કહ્યું માનશે ? કે અંદર અંદર ઝઘડી મરશે..?
વાસંતીબેનએ પ્રભુદાસનો ચેહરો જોયો અને પૂછ્યું …શું વાત છે .? બા મજિયારું છુટું કરવાની વાત કરે છે વાસંતી ..નાના રમેશએ કઈ વાત કરી લાગે છે અમેરિકાથી બા જોડે ..લાગે છે મારે હવે કાલે અમેરિકા વાત એની જોડે કરવી જ પડશે ..
બીજે દિવસે સવારે ઘરની સામે નદી કિનારે આવેલા વલ્લભસદનમાં વાસંતીબેન એમની જોડેસાસુ પ્રભાબાને લઈને વેહલી સવારે મંગળાના દર્શને પોહચી ગયા …પાછા વળતા ગાડી ડ્રાઈવરને પાછા મોકલ્યા પ્રભાબાએ.. હાલ વાસંતી થોડું હાલી નાખીએ ..ઘર તો નજીક છે ..
ચાલતા ચાલતા રસ્તામાં સાસુ વહુ વાતોએ વળગ્યા વાસંતીબેને વાતનો દોર પકડયો ..તે હેં બા તમને એકદમ આમ મજિયારું છુટું કરવાનું કેમ સૂઝયું ..પ્રભાબેન કઈ બોલ્યા નહિ એટલે વાસંતીબેન આગળ બોલ્યા… બા કાલે રાત્રે એ બહુ આઘાપાછા હતા ..બંને સાસુ વહુને એક ગાંઠ હતી ખુલ્લા દિલે એકબીજા સાથે જીવનભર વાતો કરી હતી એમણે ..
પ્રભાબેન ચાલતા અટકી ગયા અને વાસંતીબેનની આંખમાં આંખ નાખી અને પૂછ્યું ..તું જ કે વાસંતી મારી વાત ખોટી છે વાસંતીબેને કીધું …ના બા જરાય ખોટી નથી હવે મજિયારું છુટું કરીએ તો કાય વાંધો નથી બધા પોત પોતાના ઠામ ઠેકાણે છે ..ખાલી મને ધ્રાંગધ્રાવાળા રેણુકાબેનની ચિંતા છે … પણ તમે એમની ચિંતા નો કરો એમનું કરનારી તો હું બેઠી છું ..
પ્રભાબેન ખુબ લાગણીથી બોલ્ય.. બટા વાસંતી જો મારી એક વાત આજે સમજી લે તું ….ઈ રેણુકા તારી નણંદ છે ,દીકરી નહિ હું તારી સાસુ થઇ ને તને કહું છું ,તે ઘરમાં આટલા વરહ બધાના સારા ખોટા બધા પ્રસંગ સાચવ્યા ,હવે તું અને પરભુ તમારું કરો ભગવાને તને ય બે દીકરા અને એક દીકરી દીધા છે..મારે તને હવે આ બધામાંથી છોડાવવી છે …CONT….6