PAGE:-30
ચરોતરમાં તમાકુની વચ્ચે ગાંજો વાવતા અને એ અફીણનો માલ થારના રણમાં થઇને અંગ્રેજ સરકારની નજર બચાવીને સીધો પેશાવર અને ત્યાંથી જાય અફઘાનિસ્તાન પાર કરી જતો.. ગગલદાસનું જોઇને ઘાસીરામએ પણ અફીણના ધંધામાં ઝંપલાવ્યું હતું બંને વચ્ચે ક્યારેક ધંધાકીય અથડામણ થતી પણ સમજી અને એકબીજાની સાથે રહીને કામ કાઢી લેતા..અંગ્રેજોના જમાનામાં ચારૂતરમાં તમાકુ ના પાકના ચાસની વચોવચ અફીણનો પાક લેવાતો અને ચારૂતરનું અફીણ રાધનપુર થઈને બેણપ અને ત્યાંથી એ માલ સીધો નગરપારકર અને ત્યાં થી છેક અફઘાનિસ્તાન સુધી પોહચતો અને અફઘાન દલાલો અફીણને દુનિયાના બધે ખૂણે ચારૂતરમાં પેદા થયેલું અફીણ પોહચાડતા, અફીણ ને પ્રોસેસ કરીને ગાંજો પણ આ બંને કુટુંબો અખંડ ભારતમાં છેક રંગૂન સુધી વેચતા.
અંગ્રેજી હકુમતમાં તમામ લેવલે બંને કુટુંબો સાથે મળીને સારો એવો ભ્રષ્ટાચાર કરી અને પોતાનો ધંધો સાચવી લેતા..ફક્ત નામ પુરતો જ કરીયાણાનો ધંધો હતો પણ છેલ્લા એક દસકામાં તો ગાંજો અને અફીણ જ બંને પરિવારની મબલખ આવકનું સાધન થઇ ગયા હતા..
આજે પરિસ્થિતિ એવી આવી હતી કે હવે જેવા અંગ્રેજ હિન્દુસ્થાન છોડીને જાય એ ભેગા જ એક સરહદ ખેંચાઈ જવાની હતી, એક દેશમાંથી બીજા બે દેશ થઇ જશે, એક દેશમાંથી બીજા દેશમાં આવવા જવા માટે માણસને પાસપોર્ટ જોઇશે.. તો આવા સંજોગોમાં માલ તો કેમનો આઘોપાછો કરવો? રંગુન પણ બર્મામાં જશે,રંગુન થઈને છેક ચીન સુધી પોહચતો માલ કેવી રીતે વચેટિયા પોહ્ચાડે..? અડધું બંગાળ પાકિસ્તાનમાં લઇ જવાની વાત છે..બહુ મોટી મુસીબત આવી પડી હતી ગગલદાસ ઉપર, અને ઘાસીરામની પણ આ જ મુસીબત હતી..
રાત્રે પોતાની અમરકોટની હવેલીમાં ખાટલામાં પડ્યા પડ્યા ઘાસીરામ વોહેરા પણ વિચારતા હતા કે ભાગલા પડ્યા પછી અફીણ નો ધંધો તો સાવ બંધ થઇ જશે અત્યારે તો અમરકોટ બેઠા બેઠા આખા ભારતમાં માલ વેચીએ છીએ પછી તો બહુ તકલીફ થઇ જશે..સરહદ પડી એ ઘડીએ જ બધું બદલાઈ જશે, બચવાનો એક જ રસ્તો છે ગગલદાસ વાકાણીને હવે દીકરો જ ગણી લ્યો અને જે કઈ કરવું એ જોડે રહીને કરવું બંને કુટુંબો એ બધા કારભાર હવે એક સાથે જ કરવા..ત્યારે જ એક સામટું બીજા બસ્સો માણસોનું અને એક કરોડ રૂપિયાનું બળ મળશે.. ગગલદાસ પાસે નાખી દેતા પચાસ લાખ તો નીકળે જ અને પચાસેક લાખ હું કાઢીશ..કાલે ગગલદાસ જોડે ભાગીદારી નું જ ગોઠવું.. CONT.31
થાર થી છોર/શૈશવ વોરા /page-30 www.shaishavvora.com