તારક ફ્ત્તાહનું નિધન..
સમાચાર મળ્યા એ સમયે કોઈક નજીકનું સ્વજન ગુજરી ગયું હોય એટલું દુઃખ થયું .. સત્ય અને બેબાક રીતે, હિંમતપૂર્વક સાથે સાથે ખોટાને ખોટો અને સાચાને સાચો કેહવાની તાકાત ધરાવતો “મરદનું ફાડીયું” .. બીજો કોઈ શબ્દ જ જડતો નથી..!!
ઘણા બધા ઈન્ટરવ્યું જોયા તેમના અને તેમના વ્યુઝને જાણ્યા પછી દરેક વખતે એમ થતું કે આ તો મારે કેહવું છે એ જ વાત અને વિચારને આ માણસ બોલી રહ્યો છે .. બહુ ઓછા લોકોમાં આ જીગર હોય છે ..
ભારતવર્ષને કાશ્મીરથી કોલંબો, અને દ્વારિકાથી થીમ્પુ લગભગ આ ત્રેપ્પ્ન વર્ષના જીવનમાં અનેકવાર ધમરોળી ચુક્યો છું , પેહલો રાઉન્ડતો લગભગ બાર વર્ષનો હું હતો ત્યારે જ પૂરો થઇ ચુક્યો હતો, પેહલા પણ લખી ચુક્યો છું અને આજે ફરી એકવાર ..એક એક તૂટેલા ફૂટેલા પથ્થર જોડે વાત કરી છે મેં મારા દેશના..!!
ઈતિહાસ ભણ્યો નથી ,વાંચ્યો છે.. અને એ પણ એક એક પથ્થરમાં …પથ્થરની પાસે જઈ જઈને.. અમદાવાદની જુમ્મા મસ્જીદનું પેહલું પગથીયું જ સાક્ષી પૂરે છે કે અહિયાં દેરાસર હતા, મંદિરો હતા..!! આવા તો અનહદ પત્થરો ગાંધારથી લઈને રંગૂન સુધી ફેલાયેલા પડ્યા છે..! બામિયાનના બુદ્ધને ફૂંકી મારવાથી બુદ્ધનો વિનાશ થાય ? અસંભવ ..!!
તાજમહેલને હિંદુ સ્કલ્પચર માનવા હું તૈયાર નથી પણ દિને ઇલાહી કરીને નવો ધર્મ બનાવીને કેવી રીતે રાજા ટોડરમલ થી લઈને તન્ના સેન મિંયા તાનસેન થયા અને એમની સમાધિ ને મઝાર બોલાય છે એ હું જાણું છું પણ એવી જ વાત જ્યારે તારક ફ્ત્તાહ કરતા ત્યારે એમની વાણી અને વિચાર સાથે પૂર્ણત: સહમતિ આપો આપ વ્યક્ત થઇ જતી..
સિંધ વિનાનું હિંદ કેવું .. સો ટકા તારક ફ્ત્તાહજી તમારા શ્વાસ અને પ્રાણ જે ભૂમિમાં વસતા એ ભૂમિને હું અખંડ ભારત તરીકે ઓળખું છું , ભારતની બે નદીઓ કે જે સ્ત્રીલિંગ નથી પુલ્લિંગ છે નદી નથી , “નદ્ય” છે સિંધુ અને બ્રહ્મપુત્ર ભારતની ભુજાઓ છે અને ભુજાઓ વિનાનો ભારત દેશ કેવો વળી ?
પાકિસ્તાન તો એક સમયે હિંદ મહાસાગરનું પણ નામ બદલવા હાલી મળ્યું હતું .. કેવા લોકો છે એ લોકો કે જેમને પોતાના બાપદાદાઓ ઉપર શરમ આવે છે ..!! આવું કેહવાવાળા મારી સમજણમાં શ્રીમાન તારક ફ્ત્તાહ તમે પેહલા હતા ..!!
મારા બાપદાદા રાજપૂત હતા એવું શાનથી બોલવાવાળા તમે પ્રિય લાગતા .. આજે તમે જે કાંઈ છો તેના માટે પૂરે પૂરું સન્માન પણ ભૂતકાળને પણ જે ગર્વ સાથે સ્વીકારતા એના લીધે આપને માટે સન્માન અનેકગણું વધી જતું..
આ ભૂમિએ ભૂતકાળમાં ધર્મને એટલું પ્રાધાન્ય આપ્યું જ નોહતું , માનવતા ,નૈતિક મુલ્યો , અને સૌથી મોટી વાત જ્ઞાન અને વિજ્ઞાન એને જ પ્રાધાન્ય આપી અને ભારતવર્ષ સદીઓ સુધી જીવ્યું અને જીવાડતું આવ્યું પણ વચ્ચે આવેલા એક અંધકારમય યુગ જેમાં મહિનાઓ સુધી ગ્રંથાલયો સળગતા રહ્યા એવી વાતને ભૂલવાડી દેવામાં આવી એ ચીસો પાડી પાડીને આપે ઉજાગર કર્યા ..!!
ટીવી ઉપર સતત આપનો આક્રોશ ઉલેચાતો જોતો હું કદાચ આપનાથી પ્રેરિત પણ થયો છું ,
ઘણીબધી વખત હું ટીવી ઉપર ડીબેટ કરતી વખતે કોઈ સદંતર ખોટી વાત કરતુ હોય છે ત્યારે મારું પણ મગજ ફાટી જતું હોય છે રીતસર ચીસ પાડી ઉઠું છું પણ એક અજ્ણયો ડર સતાવતો હોય છે મને અને ક્યાંક અટકી જાઉં છું ..
ધર્મ જેવી અત્યંત સેન્સીટીવ બાબત ઉપર બેબાક વ્યુ .. અચ્છા અચ્છાના ફેફસા ફાટી જાય બોલતા બોલતા પણ તારક ફ્ત્તાહ સાહેબ એ બિલકુલ પોતાની ધમણ ઉપર કન્ટ્રોલ કરી સત્યને ઘસી ઘસીને ચમકતું રાખ્યું ..!
એક યોદ્ધો મર્યો આજે .. જો કોઈ બીજી પ્રોટોકોલની અડચણના હોય તો રાજકીય સન્માનને હક્કદાર એવી વ્યક્તિ ..!
ગાંધાર થી રંગૂન સુધીની આ ભારતભૂમિએ અનેક યુધ્ધો જોયા છે લડ્યા છે, છતાંય આ ભૂમિએ એટલા વાદ આપ્યા છે વિવાદ આપ્યા છે ,વિરોધી વ્યક્તિ અને વિચારો ને પણ પોષ્યા છે બને ત્યાં સુધી આ ભૂમિએ કટ્ટરતાને ત્યજી છે ,નવું નવું જે કંઈ જોયું જાણ્યું તેને અપનાવ્યું છે અને આગળ વધ્યા છે..!
ભારતના ભાગલા એ પાછા જવાની ઘટના હતી .. આગળ જવાની નહિ પણ એમાં તારક ફ્ત્તાહ કેહતા કે તમે પાકિસ્તાનને ક્યારેય જીતી નહિ શકો કારણકે ત્યાંની ઓરતો બહુ જ સ્ટ્રોંગ છે..!
સાચી વાત છે .. જે કહો તે છે તો આપણું જ લોહી ને ..નામ પાકિસ્તાન આપી દો તો કઈ અરબી લોહી થોડું દોડે એમનામાં ? અને એ પણ સિત્તેર પંચોતેર વર્ષમાં ?
બહુ વ્યવસ્થિત રીતે પાકિસ્તાન અને પાકિસ્તાનીઓને તારક ફ્ત્તાહ સાહેબ ઠમઠોરતા , કદાચ આવી રીતે પાછલા સિત્તેર વર્ષમાં તેમના જેવા બીજા સો બસ્સો વિદ્વાનોને એમને ઠમઠોર્યા હોત તો આજે છે એટલી ખરાબ સ્થિતિ-પરિસ્થતિ ના હોત ..!!
રીતસર ફટવ્યા હતા ભાઈચારાના નામે અને છેલ્લે કારગીલ નામનું ખંજર પીઠમાં ઝીલ્યું ભારતે..!
આક્રમણખોરોની ભાટાઈ કરતો ઈતિહાસ ભણી રહ્યા છો તમે તો એવી આંખ ઉઘાડનાર વ્યક્તિ હતા..!!
આખી મુઘલ સલ્તનત ગોખાવી મારતા અને શિવાજી મહારાજને લુંટારા ચીતરી મુક્યા હતા..!
બાળપણમાં પણ મને સવાલ મૂંઝવતો કે શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ હીરો કે મોગલો હીરો.? મેવાડ વટીને આગળ વધીએ છીએ અને અચાનક કેમના મોગલ ગુણગાન ચાલુ થઇ જાય છે..?
મન ભરીને આપને અમે માણ્યા છે અને અમારા જેવા અનેક ભારતીયોને પૂરેપૂરી સમજણ પાડી દીધી કે કોણ હીરો અને કોણ ઝીરો ..!!
આક્રમણ કરી અને જીત મેળવી લેવાથી હીરો નથી બની જવાતું ..
ઇન્ડીવરનું લખેલું ખુબ જાણીતું ગીત આપને અંજલિ સ્વરૂપ..
હૈ પ્રીત જહાં કી રીત સદા ..
जब जीरो दिया मेरे भारत ने
भारत ने मेरे भारत ने
दुनिया को तब गिनती आई
तारों की भाषा भारत में
दुनिया को पहले सिखलाई
देता ना दशमलव भारत तो
यूं चांद पे जाना मुश्किल था
धरती और चांद की दूरी का
अंदाजा लगाना मुश्किल था
सभ्यता जहां पहले आई
सभ्यता जहां पहले आई
पहले जन्मी है जहां पे कला
अपना भारत वो भारत है
जिसके पीछे संसार चला
संसार चला और आगे बढ़ा
यूं आगे बढ़ा बढ़ता ही गया
भगवान करे ये और बढ़े
बढ़ता ही रहे और फूले-फले
बढ़ता ही रहे और फूले-फले
है प्रीत जहां की रीत सदा
मैं गीत वहां के गाता हूं
भारत का रहने वाला हूं
काले-गोरे का भेद नहीं
हर दिल से हमारा नाता है
कुछ और ना आता हो हमको
हमें प्यार निभाना आता है
जिसे मान चुकी सारी दुनिया
ओ जिसे मान चुकी सारी दुनिया
मैं बात…
मैं बात वही दोहराता हूं
भारत का रहने वाला हूं
भारत की बात सुनाता हूं
है प्रीत जहां की रीत सदा
जीते हो किसी ने देश तो क्या
हमने तो दिलों को जीता है
जहां राम अभी तक है नर में
नारी में अभी तक सीता है
इतने पावन हैं लोग जहां
ऊतने पावन हैं लोग जहां
मैं नित-नित…
मैं नित-नित शीश झुकाता हूं
भारत का रहने वाला हूं
भारत की बात सुनाता हूं
ईतनी ममता नदियों को भी
जहां माता कह के बुलाते हैं
इतना आदर इंसान तो क्या
पत्थर भी पूजे जाते हैं
उस धरती पर मैंने जन्म लिया
उस धरती पर मैंने जन्म लिया
ये सोच…
ये सोच के मैं इतराता हूं
भारत का रहने वाला हूं
भारत की बात सुनाता हूं
है प्रीत जहां की रीत सदा
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*